સહજાનન્દનામાવલી પાઠ

🅱🅰🅿💲👇🅱🅰🅿💲

*
         *_સહજાનન્દનામાવલી પાઠઃ_*
         ( *સાધુ ભદ્રેશદાસ સ્વામી* )


---: અર્થ _ સહજાનન્દનામાવલી પાઠ: :---

 

*૧* ૐ શ્રીસ્વામિનારાયણાય નમઃ ।
         *‘સ્વામિનારાયણ’ નામથી વિખ્યાત સ્વામીએ સહિત નારાયણ એવા સહજાનંદ સ્વામીને હું નમન કરું છું...*


*૨* ૐ શ્રીસાક્ષાદક્ષરપુરુષોત્તમાય નમઃ ।
         *મૂર્તિમાન અક્ષરપુરુષોત્તમ છે જેઓ એવા સહજાનંદ...*


*૩* ૐ શ્રીપરમાત્મને નમઃ ।
         *આત્માના પણ પરમ આત્મા છે એવા સહજાનંદ...*


*૪* ૐ શ્રીપરબ્રહ્મણે નમઃ ।
         *બ્રહ્મથી પર એવા...*


*૫* ૐ શ્રીભગવતે નમઃ ।
          *ભગવાન એવા...*


*૬* ૐ શ્રીપુરુષોત્તમાય નમઃ ।
         *પુરુષોમાં ઉત્તમ એવા...*


*૭* ૐ શ્રીઅક્ષરધામવાસાય નમઃ । 
         *અક્ષરધામ છે ધામ જેમનું જેમાં વાસ કરનારા, એવા...*


*૮* ૐ શ્રીદિવ્યસુન્દરવિગ્રહાય નમઃ ।
         *સુંદર અને દિવ્ય શરીરવાળા એવા...*


*૯* ૐ શ્રીસાકારાય નમઃ ।
         *સાકાર, અર્થાત્ આકારે સહિત મૂર્તિમાન એવા...*


*૧૦* ૐ શ્રીદ્વિભુજાય નમઃ ।
         *બે ભુજાવાળા, એવા...*


*૧૧* ૐ શ્રીઅનાદયે નમઃ ।
          *અનાદિ અર્થાત્ જેમનો આદિ અને અંત નથી એવા...*


*૧૨* ૐ શ્રીસાકારાઽક્ષરસેવિતાય નમઃ ।
         *મૂર્તિમાન અક્ષર જેમને સેવે છે એવા...*


*૧૩* ૐ શ્રીદિવ્યાસનોપવિષ્ટાય નમઃ ।
         *દિવ્ય આસન ઉપર વિરાજમાન એવા...*


*૧૪* ૐ શ્રીઅનન્તમુક્તપૂજિતાય નમઃ ।
         *અનંત મુક્તો પૂજે છે જેમને એવા...*


*૧૫* ૐ શ્રીસર્વકરણશક્તાય નમઃ ।
         *સર્વ કાર્ય કરવા માટે જે શક્તિમાન છે એવા...*


*૧૬* ૐ શ્રીસમર્થાય નમઃ ।
         *જે કર્તું, અકર્તું, અન્યથાકર્તું સમર્થ છે એવા...*


*૧૭* ૐ શ્રીભક્તિનન્દનાય નમઃ ।
         *ભક્તિદેવીને પુત્રરૂપે આનંદ આપનારા એવા...*


*૧૮* ૐ શ્રીદિવ્યજન્મને નમઃ ।
         *દિવ્ય છે જન્મ જેમનો એવા...*


*૧૯* ૐ શ્રીમહારાજાય નમઃ ।
         *રાજાઓના રાજા એવા...*


*૨૦* ૐ શ્રીદિવ્યકર્મણે નમઃ ।
         *દિવ્ય કર્મ કરનારા એવા...*


*૨૧* ૐ શ્રીમહામતયે નમઃ ।
         *મહાબુદ્ધિશાળી એવા...*


*૨૨* ૐ શ્રીનારાયણાય નમઃ ।
         *નર કહેતાં ભક્તના આશ્રયરૂપ, રામાનંદ સ્વામીએ પાડેલું ‘નારાયણ મુનિ’ એવું નામ એવા...*


*૨૩* ૐ શ્રીઘનશ્યામાય નમઃ ।
         *વાદળ સમાન શ્યામ છે એવા (બાળપણનું નામ)...*


*૨૪* ૐ શ્રીનીલકણ્ઠાય નમઃ ।
         *બીજાના દુઃખ લઈ લેનાર એવા...*


*૨૫* ૐ શ્રીતપઃપ્રિયાય નમઃ ।
         *તપ પ્રિય છે જેમને એવા...*


*૨૬* ૐ શ્રીઅનાસક્તાય નમઃ ।
         *સદા સર્વત્ર સર્વ થકી અનાસક્ત એવા...*


*૨૭* ૐ શ્રીતપસ્વિને નમઃ ।
         *તપસ્વી એવા...*


*૨૮* ૐ શ્રીઅલિપ્તાય નમઃ ।
         *કોઈના બંધનમાં (પદાર્થ, વિષય, વગેરે) નહિ આવનારા એવા...*


*૨૯* ૐ શ્રીભક્તવત્સલાય નમઃ ।
          *ભક્તોને જે પ્રિય છે અને ભક્તો જેને પ્રિય છે એવા...*


*૩૦* ૐ શ્રીનૈકમોક્ષાર્થયાત્રાય નમઃ ।
         *અનેકના મોક્ષ માટે યાત્રા કરનારા એવા...*


*૩૧* ૐ શ્રીસર્વાત્મને નમઃ ।
         *સર્વના આત્મા અને પ્રાણ છે એવા...*


*૩૨* ૐ શ્રીદિવ્યતાપ્રદાય નમઃ ।
         *દિવ્યતા દેનારા એવા...*


*૩૩* ૐ શ્રીસ્વેચ્છાધૃતાઽવતારાય નમઃ ।
          *પોતાની ઇચ્છાથી અવતાર ધારણ કરનારા એવા...*


*૩૪* ૐ શ્રીસર્વાઽવતારકારણાય નમઃ ।
          *સર્વ અવતારના કારણ છે એવા...*


*૩૫* ૐ શ્રીઈશ્વરેશાય નમઃ ।
         *ઈશ્વરોના પણ ઈશ્વર છે એવા...*


*૩૬* ૐ શ્રીસ્વયંસિદ્ધાય નમઃ ।
         *કોઈની અપેક્ષા વગર પોતે સ્વયં સિદ્ધ છે એવા...*


*૩૭* ૐ શ્રીભક્તસંકલ્પપૂરકાય નમઃ ।
         *ભક્તોના સંકલ્પ સિદ્ધ કરનારા એવા...*


*૩૮* ૐ શ્રીસંતીર્ણસરયૂવારયે નમઃ ।
         *સરયુના ધસમસતા પ્રવાહને સરળતાથી અને સારી રીતે તરી જનારા એવા...*


*૩૯* ૐ શ્રીહિમગિરિવનપ્રિયાય નમઃ ।
         *હિમાલય જેવા પર્વત અને વન પ્રિય છે એવા...*


*૪૦* ૐ શ્રીપુલહાશ્રમવાસિને નમઃ ।
         *પુલહાશ્રમમાં વાસ કર્યો છે જેમણે એવા...*


*૪૧* ૐ શ્રીપવિત્રીકૃતમાનસાય નમઃ ।
         *માનસરોવરને પવિત્ર કરનારા એવા...*


*૪૨* ૐ શ્રીસાક્ષરાય નમઃ ।
         *જે હંમેશા અક્ષરે સહિત શોભતા એવા...*


*૪૩* ૐ શ્રીસહજાનન્દાય નમઃ ।
         *સહજ આનંદ છે જેમનો એવા...*


*૪૪* ૐ શ્રીસર્વાનન્દપ્રદાય નમઃ ।
         *સર્વને આનંદ આપનારા એવા...*


*૪૫* ૐ શ્રીપ્રભવે નમઃ ।
         *સંકલ્પથી જ સર્વ કાર્ય કરવા સમર્થ એવા...*


*૪૬* ૐ શ્રીપ્રણીતદિવ્યસત્સઙ્ગાય નમઃ ।
          *દિવ્ય સત્સંગના પ્રણેતા એવા...*


*૪૭* ૐ શ્રીહરિકૃષ્ણાય નમઃ ।
          *હરિ કહેતાં ચિત્તને હરનારા અને કૃષ્ણ કહેતાં અસુરોનો નાશ કરનારા એવા (માર્કંડેય મુનિએ પાડેલું નામ)...*


*૪૮* ૐ શ્રીસુખાશ્રયાય નમઃ ।
         *સુખનો આશ્રય સ્થાન એવા...*


*૪૯* ૐ શ્રીસર્વજ્ઞાય નમઃ ।
         *બધુ જ જાણનારા એવા...*


*૫૦* ૐ શ્રીસર્વકર્ત્રે નમઃ ।
 ‌        *સર્વ કર્તા એવા...*


*૫૧* ૐ શ્રીસર્વભર્ત્રે નમઃ ।
         *સર્વનું પોષણ કરાનારા એવા...*


*૫૨* ૐ શ્રીનિયામકાય નમઃ ।
         *આશ્રિતજનોને પોતાના વશમાં રાખનારા એવા...*


*૫૩* ૐ શ્રીસદાસર્વસમુત્કૃષ્ટાય નમઃ ।
         *સદા સર્વથી શ્રેષ્ઠ એવા...*


*૫૪* ૐ શ્રીશાશ્વતશાન્તિદાયકાય નમઃ ।
         *ત્રણે કાળમાં ખંડિત ન થાય એવી શાંતિ આપનારા એવા...*


*૫૫* ૐ શ્રીધર્મસુતાય નમઃ ।
         *ધર્મના પુત્ર એવા...*


*૫૬* ૐ શ્રીસદાચારિણે નમઃ ।
         *સદાચારી એવા...*


*૫૭* ૐ શ્રીસદાચારપ્રવર્તકાય નમઃ ।
         *સદાચારના પ્રવર્તક એવા...*


*૫૮* ૐ શ્રીસધર્મભક્તિસંગોપ્ત્રે નમઃ ।
          *ધર્મે સહિત એવી ભક્તિનું રક્ષણ કરનારા એવા...*


*૫૯* ૐ શ્રીદુરાચારવિદારકાય નમઃ ।
          *દુરાચારનો નાશ કરનારા એવા...*


*૬૦* ૐ શ્રીદયાલવે નમઃ ।
          *દયાળું એવા...*


*૬૧* ૐ શ્રીકોમલાત્મને નમઃ ।
         *કોમળ હૃદયના એવા...*


*૬૨* ૐ શ્રીપરદુઃખાઽસહાય નમઃ ।
          *બીજાનાં દુઃખ સહન ન કરી શકે એવા...*


*૬૩* ૐ શ્રીમૃદવે નમઃ ।
      *મૃદુ અને કોમળ એવા...*


*૬૪* ૐ શ્રીસંત્યક્તસર્વથાહિંસાય નમઃ ।
       *જેમણે સર્વ પ્રકારે હિંસાનો સમ્યક્‌પણે ત્યાગ કર્યો છે એવા...*


*૬૫* ૐ શ્રીહિંસાવર્જિતયાગકૃતે નમઃ ।
         *હિંસા રહિત યજ્ઞો કરનારા એવા...*


*૬૬* ૐ શ્રીસકલવેદવેદ્યાય નમઃ ।
         *સર્વ વેદ થકી જાણવા યોગ્ય એવા...*


*૬૭* ૐ શ્રીવેદસત્યાર્થબોધકાય નમઃ ।
         *વેદના સાચા અર્થનો બોધ કરનારા એવા...*


*૬૮* ૐ શ્રીવેદજ્ઞાય નમઃ ।
         *વેદના જ્ઞાતા (જાણનારા) એવા...*


*૬૯* ૐ શ્રીવેદસારાય નમઃ ।
         *વેદનો સાર એવા...*


*૭૦* ૐ શ્રીવૈદિકધર્મરક્ષકાય નમઃ ।
         *વૈદિક ધર્મનું રક્ષણ કરનારા એવા...*


*૭૧* ૐ શ્રીદિવ્યચેષ્ટાચરિત્રાય નમઃ ।
          *જેમની ચેષ્ટાઓ અને ચરિત્રો દિવ્ય છે એવા...*


*૭૨* ૐ શ્રીસર્વકારણકારણાય નમઃ ।
         *સર્વ કારણનાં કારણ એવા...*


*૭૩* ૐ શ્રીઅન્તર્યામિણે નમઃ ।
         *અંતર્યામી અર્થાત્ સર્વનું અંરત જાણનારા એવા...*


*૭૪* ૐ શ્રીસદાદિવ્યાય નમઃ ।
         *હંમેશા દિવ્ય છે એવા...*


*૭૫* ૐ શ્રીબ્રહ્માઽધીશાય નમઃ ।
         *બ્રહ્મના અધિપતિ એવા...*


*૭૬* ૐ શ્રીપરાત્પરાય નમઃ ।
         *પર થકી પર એવા...*


*૭૭* ૐ શ્રીદર્શિતાઽક્ષરભેદાય નમઃ ।
         *અક્ષરબ્રહ્મ તત્ત્વને દર્શાવનારા એવા...*


*૭૮* ૐ શ્રીજીવેશભેદદર્શકાય નમઃ ।
         *જીવ અને ઈશ્વર તત્ત્વોને દર્શાવનારા એવા...*


*૭૯* ૐ શ્રીમાયાનિયામકાય નમઃ ।
         *માયા તથા માયાના કાર્ય એવા અનંત કોટિ બ્રહ્માંડોનું નિયમન કરનારા ...*


*૮૦* ૐ શ્રીપઞ્ચતત્ત્વપ્રકાશકાય નમઃ ।
         *પંચતત્ત્વને પ્રકાશિત કરનારા, અર્થાત્ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અને પ્રબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન આપનારા એવા...*


*૮૧* ૐ શ્રીસર્વકલ્યાણકારિણે નમઃ ।
         *સર્વનું કલ્યાણ કરનારા એવા...*


*૮૨* ૐ શ્રીસર્વકર્મફલપ્રદાય નમઃ ।
         *સર્વ જીવો તથા ઈશ્વરોને તેમનાં કર્મનું ફળ આપનારા એવા...*


*૮૩* ૐ શ્રીસકલચેતનોપાસ્યાય નમઃ ।
         *સર્વ ચેતન તત્ત્વોને ઉપાસ્ય એવા...*


*૮૪* ૐ શ્રીશુદ્ધોપાસનબોધકાય નમઃ । 
         *શુદ્ધ ઉપાસનાનો બોધ કરનારા એવા...*


*૮૫* ૐ શ્રીઅક્ષરાધિપતયે નમઃ ।
         *અક્ષરના અધિપતિ એવા...*


*૮૬* ૐ શ્રીશુદ્ધાય નમઃ ।
         *શુદ્ધ અને પવિત્ર એવા...*


*૮૭* ૐ શ્રીશુદ્ધભક્તિપ્રવર્તકાય નમઃ ।
          *શુદ્ધ ભક્તિના પ્રવર્તક એવા...*


*૮૮* ૐ શ્રીસ્વામિનારાયણેત્યાખ્ય-દિવ્યમન્ત્રપ્રદાયકાય નમઃ ।
         *‘સ્વામિનારાયણ’ એવા દિવ્ય મંત્રનું પ્રદાન કરનારા એવા...*


*૮૯* ૐ શ્રીસ્વપ્રતિમાપ્રતિષ્ઠાકૃતે નમઃ ।
         *સ્વપ્રતિમાની પ્રતિષ્ઠા કરનારા એવા...*


*૯૦* ૐ શ્રીસ્વસમ્પ્રદાયકારકાય નમઃ ।
         *સ્વસંપ્રદાયના સ્થાપક અને પ્રવર્તક એવા...*


*૯૧* ૐ શ્રીપ્રસ્થાપિતસ્વસિદ્ધાન્તાય નમઃ ।
         *પ્રસ્થાતિપ કર્યો છે સ્વસિદ્ધાંત એવા...*


*૯૨* ૐ શ્રીબ્રહ્મજ્ઞાનપ્રકાશકાય નમઃ ।
         *બ્રહ્મના જ્ઞાનને - સ્વરૂપને પ્રકાશિત કરનારા એવા...*


*૯૩* ૐ શ્રીગુણાતીતોક્તમાહાત્મ્યાય નમઃ ।
         *ગુણાતીતાનંદ સ્વામીએ જેનો મહિમા ગાયો છે એવા અને ...*


*૯૪* ૐ શ્રીઅક્ષરાઽઽત્મૈક્યપ્રબોધકાય નમઃ ।
         *પોતાના આત્માને અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવાનો બોધ આપનારા એવા...*


*૯૫* ૐ શ્રીમૂલાક્ષરગુણાતીતસ્વરૂપ-પરિચાયકાય નમઃ ।
         *મૂળ અક્ષર એવા ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપનો પરિચય કરાવનારા એવા...*


*૯૬* ૐ શ્રીભક્તિલભ્યાય નમઃ ।
          *ભક્તિ દ્વારા પામી શકાય એવા...*


*૯૭* ૐ શ્રીકૃપાસાધ્યાય નમઃ ।
         *કૃપાથી સાધ્ય છે એવા...*


*૯૮* ૐ શ્રીભક્તદોષનિવારકાય નમઃ ।
         *ભક્તોના દોષ ટાળનારા એવા...*


*૯૯* ૐ શ્રીશાસ્ત્રિસ્થાપિતસબ્રહ્મ-ધાતુમૂર્તયે નમઃ ।
          *બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જેમની અક્ષરબ્રહ્મ સહિત ધાતુની મુર્તિ સ્થાપિત કરી છે એવા...*


*૧૦૦* ૐ શ્રીઅલૌકિકાય નમઃ ।
          *અલૌકિક અને દિવ્ય છે એવા...*


*૧૦૧* ૐ શ્રીબ્રહ્મદ્વારકપ્રાકટ્યાય નમઃ ।
          *અક્ષરબ્રહ્મ દ્વારા પ્રગટ છે એવા...*


*૧૦૨* ૐ શ્રીસમ્યગક્ષરસંસ્થિતાય નમઃ | 
         *અક્ષરબ્રહ્મમાં સમ્યક્ પ્રકારે નિવાસ કરીને રહેનારા એવા ...*


*૧૦૩* ૐ શ્રીસમાધિકારકાય નમઃ ।
           *સમાધિ કરાવનારા એવા...*


*૧૦૪* ૐ શ્રીનિખિલપાપનાશકાય નમઃ ।
           *સર્વ પાપોનો નાશ કરનારા એવા...*


*૧૦૫* ૐ શ્રીસર્વતન્ત્રસ્વતન્ત્રાય નમઃ ।
          *સર્વ પ્રકારે સ્વતંત્ર છે એવા...*


*૧૦૬* ૐ શ્રીમાયિકગુણવર્જિતાય નમઃ ।
           *માયાના ગુણોથી રહિત એવા...*


*૧૦૭* ૐ શ્રીદિવ્યાઽનન્તગુણાય નમઃ ।
        *દિવ્ય અનંત ગુણો છે જેમના એવા...*


*૧૦૮* ૐ શ્રીઅનન્તનામ્ને નમઃ ।
          *અનંત નામવાળા એવા...*


ૐ શ્રીઅક્ષરપુરુષોત્તમમહારાજાય નમઃ ।

ૐ શ્રીગુણાતીતાનન્દસ્વામિમહારાજાય નમઃ ।

ૐ શ્રીભગતજીમહારાજાય નમઃ ।

ૐ શ્રીશાસ્ત્રિજીમહારાજાય નમઃ ।

ૐ શ્રીયોગિજીમહારાજાય નમઃ ।

ૐ શ્રીપ્રમુખસ્વામિમહારાજાય નમઃ ।

*_ૐ શ્રીમહન્તસ્વામિમહારાજાય નમઃ ।_*


*_॥ ઇતિ શ્રીસહજાનંદનામાવલી સમાપ્તા ॥_*
*
🏓👏🏓👏🏓👏🏓👏🏓

No comments:

Post a Comment